VIDEO: અમદાવાદમાં 11 ઓગસ્ટે પાણી કાપ, આ વિસ્તારો આગોતરી વ્યવસ્થા કરી રાખજો..
સોર્સ : gstv
અમદાવાદમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાનની 10 ઓગસ્ટે મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. જેને લઈને અમદાવાદના ઘણા વિસ્તારોમાં 11 ઓગસ્ટે પાણી કાર રહેશે. મેઈન્ટેનન્સને લીધે સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી પ્લાન્ટ બંધ રહેશે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં અસર થશે. સાથે જ રાણીપ અને નવા વાડજ વોર્ડમાં પણ પાણી પુરવઠો પ્રભાવિત થશે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરીકોને 11 ઓગસ્ટે અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.

