Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Vishwa Umiyadham/ HM Amit Shah inaugurates Patidar Youth Business Mahasammelan,

વિશ્વ ઉમિયાધામ/ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ધાટન, 20 હજાર યુવાનો રચશે વર્લ્ડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આજે પાટીદાર સમાજની શક્તિ અને ઉદ્યોગ સાહસિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 'પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન'નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. આ સંમેલન પાટીદાર યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે.

App Store

20 હજાર યુવાનો સર્જશે વર્લ્ડ રેકોર્ડ

આ મહાસંમેલનની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં ઉપસ્થિત રહેનારા અંદાજે 20,000 પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકો એકસાથે 'આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ લેશે. આટલી મોટી સંખ્યામાં યુવાનો દ્વારા લેવામાં આવનારો આ સંકલ્પ એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યો છે. આ આયોજન દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વરોજગાર પ્રત્યેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમિત શાહનું પ્રેરક સંબોધન

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, બપોરે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધશે. તેઓ દેશના વિકાસમાં યુવાનોના ફાળા અને આગામી સમયમાં બિઝનેસ ક્ષેત્રે રહેલી તકો વિશે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, અમિત શાહ વિશ્વ ઉમિયાધામ ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા (451 ફૂટ) ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ પણ કરશે.

ગ્લોબલ પાટીદાર પાવર

આ બિઝનેસ સંમેલન માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ગ્લોબલ પાટીદાર પાવરની ઝલક પણ જોવા મળી રહી છે. અમેરિકા, કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં સ્થાયી થયેલા સફળ પાટીદાર બિઝનેસમેન ખાસ આ સંમેલનમાં ભાગ લેવા પધાર્યા છે. તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા યુવા સ્ટાર્ટઅપ માલિકો અને ઉદ્યોગપતિઓ સાથે પોતાના અનુભવો શેર કરશે, જે નેટવર્કિંગ અને ગ્લોબલ બિઝનેસ એક્સપોઝર માટે ઉત્તમ તક પૂરી પાડશે.

આત્મનિર્ભરતા તરફ પ્રયાણ

રાજ્યના ખૂણેખૂણેથી આવેલા યુવા ઉદ્યોગસાહસિકો માટે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તેઓ નવા બિઝનેસ આઈડિયાઝ, ટેકનોલોજી અને સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકશે. સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.