VIDEO: ક્રેડાઈ દ્વારા આગામી 1 જુલાઈથી મકાનના ભાવમાં 10 ટકા સુધીનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય
સોર્સ : GSTV
અમદાવાદમાં ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર છે, કારણ કે ક્રેડાઈ દ્વારા આગામી 1 જુલાઈથી મકાનના ભાવમાં 10 ટકા સુધીનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી 400 બિલ્ડર સભ્યોની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સમાં 10 ટકાઅને પૂર્ણતાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સમાં 5 ટકા ભાવ વધારો ઝીંકવામાં આવશે. વૈશ્વિક સ્થિતિ અને રોમટીરિયલના ભાવમાં થયેલા 20 ટકાથી 60 ટકાના વધારાને કારણે બિલ્ડરોએ આ ફેઝ-વનનો ભાવ વધારો જાહેર કર્યો છે. જોકે, ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે 30 જૂન સુધી જૂના ભાવ યથાવત રહેશે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે સરકારે હજુ સુધી કોઈ લેખિત ખાતરી આપી નથી

