Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 148th Jagannathji Rath Yatra is a significant event in history

VIDEO: 148મી જગન્નાથજીની રથયાત્રા ઇતિહાસમાં નોંધપાત્ર બની, ભગવાનને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2025
લાઇવ ટીવીGoogle News

આ વર્ષના અષાઢી બીજના દિવસે નીકળેલી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર રથયાત્રાને અમદાવાદ શહેર પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે.

App Store

પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. રથયાત્રા શરૂ થતી પહેલા ‘પહિંવિધિ’ પહેલાં આ સન્માન અપાયું હતું. અગાઉની 147 રથયાત્રાઓમાં ક્યારેય એવું ન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે

અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે.