VIDEO: અમદાવાદમાં શુદ્ધ મીઠાઈ માટે રેપિડ કીટ રાખવાના AMCના આદેશ સામે વેપારીઓમાં ભારે અસમંજસ અને વિરોધ
સોર્સ : gstv
લોકોને શુદ્ધ ખાધ્ય પદાર્થો મળી રહે તે હેતુસર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દુકાનોમાં રેપિડ કીટ રાખવાની સૂચના અપાઈ છે, પરંતુ વિશાળ શહેરમાં માત્ર સોળ વેપારીઓએ જ આ કીટ વસાવી છે. મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ કંદોઈના જણાવ્યા મુજબ નિર્ણય સારો છે, પરંતુ તહેવારોના દિવસોમાં જ્યારે ગ્રાહકોની ભારે ભીડ હોય ત્યારે વારંવાર ટેસ્ટિંગ કરવું વ્યવહારિક રીતે અશક્ય છે. વળી, ટેસ્ટિંગ કરવાની પદ્ધતિ અને કેમિકલના પ્રમાણ અંગેનુંજ્ઞાન દરેક પાસે હોતું નથી, જ્યારે નાના અસ્થાયી એકમો માટે તો આ નિયમ પાળવો ખૂબ જ કઠિન છે. આ તમામ વ્યવહારિક મુશ્કેલીઓના નિરાકરણ માટે આગામી સમયમાં AMC સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે.

