અમદાવાદમાં ચાલુ રીક્ષામાંથી લેખિકાનું પર્સ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર, પોલીસે શરૂ કરી તપાસ

સોર્સ : gstv
અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ચાલુ રીક્ષામાંથી તેમનું પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સમાં બે મોબાઇલ ફોન, એક ઘડિયાળ તેમજ રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ હતી.
ઘટનાના પગલે કાજલ ઓઝા વૈદ્યએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

