VIDEO: AHMEDABAD / 'ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાની નીતિ સામે જનતાએ જડબાતોડ જવાબ આપ્યો'
સોર્સ : gstv
દાણીલીમડા વિસ્તારમાં ફરી એકવાર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ સાબિત કરતા આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજય બાદ કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ જણાવ્યું કે, ભાજપે આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ જનતાએ તેમને નકારી દીધા છે. ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાની નીતિ સામે જનતાએ મતાધિકારથી જડબાતોડ જવાબ આપ્યો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો અભેદ્ય ગઢ રહ્યો છે.

