Ahmedabad news: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે વાલીઓને રૂ. 2 કરોડની ફી પરત કરવી પડશે, જાણો FRCએ શાળાને કેટલા દિવસનો આપ્યો સમય

સોર્સ : GSTV
અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે વાલીઓને અંદાજે 2 કરોડ રૂપિયાની ફી પરત કરવા એફઆરસીએ ઠરાવ કર્યો છે. નિર્ણય મુજબ સ્કૂલે ધોરણ 1 થી 8ના વર્ષ 2024-25ના કુલ 1590 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી વધારાની ફી પરત કરવાની રહેશે, જેની કુલ રકમ અંદાજે 2 કરોડ રૂપિયા થાય છે. FRCએ સ્કૂલને 15 દિવસની અંદર તમામ વિદ્યાર્થીઓને વધારાની ફી પરત કરવા સ્પષ્ટ આદેશ કર્યો છે.

