Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Sabarmati River cleaning campaign complete, Narmada water to be used

Ahmedabad : સાબરમતી નદીનું સફાઇ અભિયાન પૂર્ણ, ઠલવાશે નર્મદાના નીર

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad : સાબરમતી નદીનું સફાઇ અભિયાન પૂર્ણ, ઠલવાશે નર્મદાના નીર

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીનું ઇતિહાસમાં પ્રથમ વખત શુદ્ધિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આજ રોજ પર્યાવરણ દિવસ નિમિત્તે આ શુદ્ધિકરણ અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ થયાની જાહેરાત કરાઇ છે. હવે નદીમાં ફરી નર્મદાના નીર ઠલવાશે,જેથી ફરીથી નદીની રોનકમાં વધારો થશે. 

App Store

અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી નદીનું સફાઇ અભિયાન ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. આ સફાઇ અભિયાનમાં જોડાવા તંત્રએ સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી હતી. આ દરમ્યાન વિવિધ એનજીઓ સહિત 90 હજાર જેટલા લોકો આ સફાઇ અભિયાનમાં જોડાઈને નદીની સફાઇ કામગીરી હાથ ધરી હતી. નદીમાંથી 901 મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. હવે આવતીકાલથી સાબરમતી નદીમાં ફરીથી નર્મદા નદીના પાણી ઠલવાશે. મનપા તંત્રએ આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે આ સફાઇ કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કરી છે. જેથી, ફરી એક વાર શહેરીજનોને સાબરમતીમાં પાણીના નયનરમ્ય નજારા જોઈ શકશે. 

 

 

 

 

ટોપિક્સ:sabarmati rivernarmada watergstv