Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Protest against Waqf Bill in Ahmedabad

VIDEO: 'મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી', અમદાવાદમાં વકફ બિલનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2025
લાઇવ ટીવીGoogle News

દેશભરમાં બહુચર્ચિત વક્ફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થયા બાદ દેશમાં ક્યાંક તેનો વિરોધ પણ દર્શવાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ લાલ દરવાજા વિસ્તારમાં સિદી સૈયદની જાળી પાસે એસડીપીઆઈ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી તેમજ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. 

App Store

કેટલાક મુસ્લિમ નેતાઓએ વક્ફ બિલને મુસ્લિમ વિરોધ ગણાવી રાજીનામાં પણ આપ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વક્ફ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. લાલદરવાજા સિદ્દી સૈયદની જાળી પાસે લોકોએ એકત્ર થઈને રસ્તા પર ઉતરી આવી વિરોધ દર્શાવ્યો હતો. સરકાર બિલથી મુસ્લિમોની જમીન હડપવા માંગતી હોવાનો દાવો કરાયો છે. 

દેખાવો કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બિલ સંવિધાન વિરોધી હોવાનો SDPIના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. કાર્યકરોએ ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી... જેવ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ટોપિક્સ:Protest against Waqf Bill