Ahmedabad news: ખ્યાતિ હોસ્પિટલના માલિકને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, નિયમિત જામીન કરાયા મંજૂર

સોર્સ : GSTV
અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હોસ્પિટલ માલિક કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત મળતા તેમના નિયમિત જામીન મંજૂર કરાયા છે. આ અગાઉ ડૉ. પ્રશાંત વઝીરાની અને અન્ય આરોપીઓના જામીન મંજૂર થયા હતા.
જામીન મંજૂર થતા કેસની ટ્રાયલ શરૂ થઈ શકે
અમદાવાદના બહુચર્ચિત ખ્યાત હોસ્પિટલ કાંડના માલિક કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કાર્તિક પટેલના નિયમીત જામીન મંજૂર કર્યા છે. કાર્તિક પટેલ અગાઉ ડૉકટર પ્રશાંત વઝીરાના અને અન્ય આરોપીઓના પણ જામીન મંજૂર થયા છે અને હવે કાર્તિક પટેલના જામીન મંજૂર થતા કેસની ટ્રાયલ શરૂ થઈ શકે છે.

