VIDEO: વર્ષમાં માત્ર એક જ વાર! આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દિવ્ય 'સોનાવેશ'
સોર્સ : gstv
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી વર્ષમાં એકમાત્ર વખત ધારણ કરાતા દિવ્ય સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે. ભગવાનને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવશે, જેને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ત્રણેય રથોને લાવવામાં આવશે અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમનું વિધિવત પૂજન કરવામાં આવશે. સાથે ગજરાજોની વિશેષ પૂજા પણ યોજાશે. ધાર્મિક પરંપરા અને ભક્તિભાવથી ભરપૂર આ કાર્યક્રમને લઈને મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે..

