VIDEO: સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં બીજેપીનું ભવ્ય સમરસતા સંકલ્પ અભિયાન શરૂ
સોર્સ : gstv
અમદાવાદના વસ્ત્રાલ ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિને લઈને ભાજપનો સમરસતા સંકલ્પ અભિયાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્ય અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત વારાણસીની પવિત્ર માટીના કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.. જે રાજ્યના 16 હજાર ગામો સુધી પહોંચાડવામાં આવશે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સંત રવિદાસના સમરસતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. જગદીશ વિશ્વકર્માએ આ યાત્રાને તાલુકા સ્તરે ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું...

