Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Mosquito-borne and water-borne epidemics increased in Ahmedabad

VIDEO: અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી છે.. અમદાવાદ શહેરમાં જુલાઈમાં સાદા મેલેરિયાના 24 સાથે ચાલુ વર્ષમાં કુલ 149 કેસ નોંધાયા છે..,  ડેન્ગ્યુના જુલાઈમાં 38 કેસ સાથે કુલ 197 કેસ નોંધાયા છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં જુલાઈમાં ઝાડા-ઉલ્ટીના 345, કમળાના 65 અને ટાઈફોઈડના 235  કેસ સામે આવ્યા છે. રોગચાળો અટકાવવા તંત્ર રોજના 400 લેખે કુલ 6,741 પાણીના સેમ્પલ લીધા છે, જેમાંથી જુલાઈમાં 40 સેમ્પલ ફેલ ગયા છે અને 30માં ક્લોરિન નીલ મળ્યું છે. મચ્છરજન્ય રોગચાળાને નાથવા કન્સ્ટ્રકશન સાઇટ્સ અને સ્લમ વિસ્તારોમાં પાણી ન ભરાય તેની વિશેષ કાળજી રાખી સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

App Store