VIDEO: જન્માષ્ટમીને લઈ બજારમાં કૃષ્ણ શણગારની ધૂમ
સોર્સ : gstv
જગતના નાથનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી... જન્માષ્ટમી ઉજવવા ભક્તોમાં થનગનાટ છે. ભક્તો બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના શૃંગારની ખરીદી કરી રહ્યા છે.. ભગવાનના શણગારની જો વાત કરીએ તો જેમાં ભગવાનના વાઘા, વ્હાલી વાંસળી, મુગટ, પારણું, આસન સહિતની વસ્તુઓની માગ છે..આ વર્ષે કૃષ્ણ ભગવાનના વાઘામાં ડાયમંડ અને મોતી વર્કના વાઘા, ફ્લાવર્સ પ્રિન્ટવાળા વાઘા, રાધા કૃષ્ણના વાઘાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વાઘા ઉપરાંત આકર્ષક હાર.. મુગટ, કુંડળ પણ ખરીદી રહ્યા છે. તો બીજી તરફ લાલજીને પારણામાં ઝુલાવવા માટે અનેક વેરાયટીઝ જોવા મળી છે... આમ હિંડોળા ઉપરાંત પીત્તળ કોપરના ઝુલા નું પણ ખૂબ વેચાણ થઈ રહ્યું છે....

