નારણપુરા સગીર પીડિતાને ન્યાય, આરોપીને 20 વર્ષની કઠોર કેદ

સોર્સ : Dhaval Barot
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટનો કડક ચુકાદો આવ્યો છે. વર્ષ 2024માં નોંધાયેલા પોક્સો કેસમાં આરોપી પિયુષ અરવિંદભાઈ જેઠવાને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે. મદદનીશ સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલને ગ્રાહ્ય રાખી આરોપીને IPCની કલમ 376(3) હેઠળ 20 વર્ષની કઠોર કેદ અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે IPCની કલમ 376(2)(N) હેઠળ 10 વર્ષની કઠોર કેદ અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત POCSO એક્ટની કલમ 4, 5(1) અને 6 હેઠળ પણ આરોપીને દોષિત ઠેરવાયો છે.

