Plane Crash In Ahmedabad: ફ્લાઇટ દુર્ઘટનાની રૂંવાડા ઊભા કરી દેતી તસવીરો, જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાયલોટ 50થી વધુ મુસાફરોના મોત નીપજ્યા છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.

પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમારા રૂંવાડા ઊભા કરી દેશે.

આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમારા રૂંવાડા ઊભા કરી દેશે.







