Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Holiday chaos: Employees making up bizarre excuses in the office and getting fired, know what excuses make the boss dizzy

રજાના રણબંકાઓ: ઓફિસમાં અતરંગી બહાનાબાજી કરીને ગુલ્લી મારતા કર્મચારીઓ, જાણો કયા બહાનાથી બોસનું માથું ચકરાવે ચઢે છે

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
રજાના રણબંકાઓ: ઓફિસમાં અતરંગી બહાનાબાજી કરીને ગુલ્લી મારતા કર્મચારીઓ, જાણો કયા બહાનાથી બોસનું માથું ચકરાવે ચઢે છે
સોર્સ : GSTV

કેલેન્ડર વર્ષનો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. મિત્રો કે પરિચિતોને એપ્રિલ ફૂલ બનાવી છેતરવાનો ટ્રેન્ડ દાયકાઓથી ચાલી આવ્યો છે. સમાજ, સોસાયટી કે સર્કલમાં આપણી વચ્ચે ‘એપ્રિલ ફૂલ’ના નામે એક એવો નોકરિયાત વર્ગ પણ વસે છે જેને સહકર્મીઓ રજાના રણબંકા તરીકે સંબોધન કરી રહ્યાં છે. પડોશીના લગ્નમાં પીઠી ચોળવા જવા માટે પણ ઓફિસમાં ગુલ્લી મારતા રજાબાજોની અતરંગી બહાનાબાજીથી સાંભળી ઓફિસમાં બોસ કે દુકાનમાં શેઠનું માથું ચકરાવે ચઢી જાય છે. તેઓ દ્વારા રજા માટે અપાયેલા અવનવા કારણો કે બહાનાબાજી જાણી સાથી કર્મચારીઓ પણ મનોમન મલકાટ અનુભવતા હોય છે. દર વખતે રજા લેવા નવું શાબ્દિક ‘બ્રહ્માસ્ત્ર’ છોડતા આવા કર્મચારીઓ આખું વર્ષ એપ્રિલ ફૂલ મનાવે છે

App Store

બહારગામ જવાનું બહાનું સૌથી વધુ લોકપ્રિય

કોર્પોરેટ ઓફિસ હોય કે સામાન્ય દુકાન ઉપર કામ કરતા કર્મચારીઓ નોકરીમાં રજા લેવા કલાત્મક બહાના બનાવતા હોય છે. રજા લેવામાં ‘ગોલ્ડ મેડાલિસ્ટ’ થઈ ચૂકેલા આવા ગુલ્લીબાજ કર્મચારીઓના કારણો કહો કે બહાના જાણી અન્ય કર્મચારીઓમાં ભારે કૌતુક છવાઈ જાય છે. આવા કર્મચારીઓ પાસે આખું વર્ષ રજા લેવા માટે અવનવા કારણો સાથેનું આખું લિસ્ટ તૈયાર હોય છે. સરકારી, અર્ધ-સરકારી, કોર્પોરેટ કે ખાનગી સ્થળે જોબ કરતા કર્મચારીઓ દ્વારા ખોટું બોલી રજા લેવા માટે આપવામાં આવતા કારણોમાં સૌથી વધુ નજીકના સંબંધીનું મૃત્યુ થવું, અગાઉથી મૃત્યુ પામેલા સંબંધીઓને ફરી સ્વર્ગમાં મોકલવા, સમાજના સંમેલનમાં હાજરી, કૌટુંબિક આકસ્મિકતા કે પછી શહેરમાં જ હોવા છતાં બહારગામ જવાના હોવાનું કહી નોકરીમાં ગુલ્લી મારતા હોય છે.

નોકરીમાં રજા લેવા 'ગુલ્લીબાજો' આખું વર્ષ 'એપ્રિલ ફૂલ' મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે 2 - image

તબિયત સારી નથી હું નહીં આવું

આ પ્રકારની મનોસ્થિતિ ધરાવતા કર્મચારીઓ વિશે સ્મીમેર હોસ્પિટલના સાઈકિયાટ્રિક ડોક્ટર પરાગ શાહે જણાવ્યું કે, આજે ટાર્ગેટ બેઈઝ જોબને કારણે કર્મચારીઓ માનસિક તાણ વધુ અનુભવે છે. કોર્પોરેટ જોબમાં કામનું ભારણ વધુ હોય છે. તેની સામે કર્મચારીઓની કાર્યક્ષમતા ઘણી વખત ઓછી હોય છે. જેને પગલે તેઓ ઘણીવખત કામથી દૂર ભાગી જવા માટે ખોટું બહાનું બનાવી રજા લઈ લેતા હોય છે. બીજું એક કારણ ડિપ્રેશન પણ હોઈ શકે છે. કેટલીક વખત અનુકૂળ વાતાવરણ નહીં હોવાથી કામગીરી બોજારૂપ બની જતી હોય છે. આને કારણે પણ કર્મચારીઓ પોતાને કામમાંથી મુક્ત કરી લેવા માટે વિચિત્ર કારણો આપી રજા ઉપર ઉતરી જતા હોય છે. આવા કર્મચારીઓને કારણે તેમના સહ-કર્મચારીઓનું કામનું ભારણ વધી જતું હોય છે. આમ છતાં તેમના દ્વારા રજા લેવા માટે રજૂ થયેલા બહાના ઓફિસના ટેન્શન ભર્યા વાતાવરણમાં ચોક્કસ પણે હાસ્યનું મોજું ફેલાવે છે.

ટોપિક્સ:raja newsgstv newsgstv