Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Former TRB jawan in a drunken state caused an accident in Nikol

Ahmedabad: નિકોલમાં નશાની હાલતમાં પૂર્વ TRB જવાને કર્યો અકસ્માત, 3 ગાડીઓને મારી ટક્કર 

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2025
લાઇવ ટીવીGoogle News

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણની નજીક પૂર્વ ટીઆરબી કારચાલકે નશામાં 3 ગાડીઓ અને એક નાસ્તાની લારીને ટક્કર મારી છે. કારમાં 3થી 4 લોકો સવાર હતા. કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ટક્કર મારનાર રાહુલસિંહ રાજપુત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો થયો છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કેસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

ગાંધીનગર સ્થિક ભાજપ કાર્યાલય કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે.  મૃતકનું અજય પરમાર તરીકે જાણવા મળ્યું છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે જ્યારે ઈજાગ્રસ્તોમાં નટવર ડામોર અને ચિરાગ ડામોરનો સમાવેશ થાય છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે.

ગઇકાલે અમદાવાદમાં જર્જરિત ફ્લેટનો ભાગ થયો હતો ધરાશાયી

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદી વાતાવરણની વચ્ચે દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મિ સોસાયટીના એક ફલેટમાં મંગળવારે ધાબા ઉપરાંત સીડી તથા જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો.આ ઘટનાને પગલે   રહીશોના જીવ ઉચાટમાં મુકાયા હતા. સીડી તૂટી પડતા બીજા માળના રહીશો તેમના ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા એક કલાકની જહેમત પછી 9 મહિનાના બાળક સહિત કુલ 16 લોકોને વિભાગ દ્વારા સલામત નીચે ઉતારી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો.