Ahmedabad: ઠંડીથી રક્ષણ માટે જગન્નાથ મંદિરમાં ભગવાનને પણ પહેરાવાયા ગરમ વસ્ત્રો
સોર્સ : GSTV
ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરોમાં લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, ત્યારે મંદિરોમાં પણ ભક્તિનું એક અનોખું રૂપ જોવા મળ્યું છે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અહીં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવને ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ ગરમ વસ્ત્રો અને શાલ ઓઢાડવામાં આવી છે.

