VIDEO: અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું, કોંગ્રેસી નેતાઓ કાર્યાલયમાં કરાયા નજરકેદ
સોર્સ : gstv
દિલ્હીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને ધરણા બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનને સુરક્ષા દળોએ પોલીસ છાવણીમાં તબદીલ કરી દીધું છે. પરિસ્થિતિને પગલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા અને પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસી નેતાઓને કાર્યાલયમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે, જેથી આ તમામ નેતાઓ રાજીવ ગાંધી ભવનના પગથિયે બેસીને વિરોધ નોંધાવ્યો હતો..

