Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Changes in terminals of important trains following renovations

Ahemdabad રેલવે સ્ટેશનમાં રિનોવેશનને પગલે મહત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahemdabad રેલવે સ્ટેશનમાં રિનોવેશનને પગલે મહત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

Ahemdabad Railway News: અમદાવાદની રેલ્વે સેવાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. RLDR દ્વારા શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્તરે ઉન્નત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે રેલવે દ્વારા 70 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે રેલવે જન સંપર્ક અધિકારી અજય સોલંકીએ જણાવ્યું કે, આગામી 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી કેટલીક મહત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

App Store

તેમણએ વધુમાં જણાવ્યું કે, કેટલીક મુખ્ય ટ્રેનોના ટર્મિનલને મણીનગર,અસારવા અને વટવા રેલ્વે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. નવજીવન એક્સપ્રેસ સહિતની ટ્રેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મુસાફરીને વધુ સરળ અને આનંદદાયક બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે તરફથી મુસાફરોને અપીલ છે કે, ઘરેથી નીકળતા પહેલા ગાડીનું સ્થળ ચેક કરીને જવું.