VIDEO: અમદાવાદના કાલુપુરમાં વનતારા અને અનંત અંબાણીની થીમ પર અદ્ભુત ગણેશ પંડાલ
સોર્સ : gstv
અમદાવાદના કાલુપુર ગણેશ પંડાલમાં આ વર્ષે અનોખી થીમ જોવા મળી રહી છે, જ્યાં ગણેશજીની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમા સાથે 'વનતારા'ની થીમ તૈયાર કરવામાં આવી છે. પંડાલમાં સુંદર પશુ-પક્ષીઓની સાથે થર્મોકોલમાંથી અદભૂત દ્વારિકા નગરી પણ ઊભી કરાઈ છે. ખાસ વાત એ છે કે આ ભવ્ય દ્વારિકા નગરી શાળાના બાળકોએ પોતાની કલાથી થર્મોકોલની મદદથી ડિઝાઈન અને કલર કરીને તૈયાર કરી છે. અહીં અનંત અંબાણી ભગવાન ગણેશનો હાથ પકડીને દ્વારિકા નગરી તરફ જતા હોય તેવા દશ્યાત્મક આર્ટના દર્શન થાય છે. આકર્ષક ડેકોરેશન અને મનમોહક લાઈટિંગ દર્શનાર્થીઓને હૂબહૂ વનતારામાં આવ્યા હોવાનો અદ્ભુત અનુભવ કરાવે છે, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને આ બાળકોની કલાના વખાણ કરી રહ્યા છે.

