Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ajmer-Mysuru train to run regularly, Vadodara-Gorakhpur special extended

અજમેર-મૈસુરુ ટ્રેન નિયમિત દોડશે, વડોદરા-ગોરખપુર સ્પેશિયલના ફેરા પણ વધારાયા

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અજમેર-મૈસુરુ ટ્રેન નિયમિત દોડશે, વડોદરા-ગોરખપુર સ્પેશિયલના ફેરા પણ વધારાયા
સોર્સ : gstv

મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા બે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અજમેર અને મૈસુરુ વચ્ચે વાયા અમદાવાદ થઈ દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે નિયમિત સેવા તરીકે સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ગોરખપુર-વડોદરા સ્પેશિયલ ટ્રેનના ફેરા ફરી એક વખત લંબાવવામાં આવ્યા છે.

App Store

અજમેર-મૈસુરુ સેવા હવે નિયમિત બની

અજમેર-મૈસુરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને નિયમિત સેવા તરીકે ચાલુ રાખવામાં આવી છે.

•ટ્રેન નં. 16282 અજમેર-મૈસુરુ: 7 સપ્ટેમ્બર 2026થી નિયમિત સેવા
•ટ્રેન નં. 16281 મૈસુરુ-અજમેર: 5 સપ્ટેમ્બર 2026થી નિયમિત સેવા

આ નિર્ણયથી રાજસ્થાન, ગુજરાત સહિત દક્ષિણ ભારત તરફ મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા મળશે.

વડોદરા-ગોરખપુર સ્પેશિયલના ફેરા વધારાયા

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 09111 વડોદરા-ગોરખપુર અને ટ્રેન નં. 09112 ગોરખપુર-વડોદરાના ફેરા પણ ફરી લંબાવવામાં આવ્યા છે. મુસાફરોની વધતી માંગને પગલે આ નિર્ણય લેવાયો છે.

•09111 વડોદરા-ગોરખપુર: 23 નવેમ્બર 2026 સુધી વિસ્તૃત
•09112 ગોરખપુર-વડોદરા: 25 નવેમ્બર 2026 સુધી વિસ્તૃત

આ ટ્રેન સેવા વડોદરા અને ઉત્તર પ્રદેશના ગોરખપુર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ કરીને લાભદાયી રહેશે. તહેવારો અને આગામી પ્રવાસી સિઝન દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવામાં પણ આ વિસ્તૃત ફેરા મદદરૂપ થશે.