Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedbadad news: Increase in water-borne and mosquito-borne diseases in the city

Ahmedbadad news: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, 13 હજાર OPD કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedbadad news: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, 13 હજાર OPD કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ચોમાસાની બેવડી ઋતુને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 OPD કેસ નોંધાયા, જેમાંથી 1,137 દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

App Store

ડેન્ગ્યુના 18 અને મલેરિયાના 11 પોઝિટિવ કેસ નોંધાયા

મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 18 અને મલેરિયાના 11 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના 56 અને ટાઇફોઇડના 10 કેસ સામે આવ્યા. ડૉ. કિરણ ગોસ્વામી, એઆરએમઓ, સોલા સિવિલ હોસ્પિટલની સલાહ મુજબ, બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી રોગચાળાને અટકાવી શકાય.

સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઘટાડવા ફોગિંગ અને પાણીના નમૂનાઓની તપાસ જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને સ્થિર પાણી દૂર કરવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવે છે.

ટોપિક્સ:gstvgujaratcase