VIDEO: અમદાવાદ રથયાત્રા: મેમનગરના દવે પરિવારને મળ્યું ભગવાનનું મામેરું કરવાનું પરમ સૌભાગ્ય
સોર્સ : gstv
અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રથયાત્રામાં જગતના નાથનું મામેરું કરવાની પવિત્ર તક મેમનગર ખાતે રહેતા દવે પરિવારને પ્રાપ્ત થઈ છે. મામેરાના આયોજનને લઈને દવે પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. પરિવાર દ્વારા ભગવાનના ભવ્ય શણગાર અને પરંપરાગત વિધિઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી રથયાત્રામાં ભગવાનનું મામેરું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભક્તો પણ આ દિવ્ય પ્રસંગના દર્શન માટે આતુર છે.

