Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Plane Crash: Only one person survived the plane crash, 241 passengers died: Police Commissioner

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો, 241 મુસાફરોનાં મોત: પોલીસ કમિશનર

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો, 241 મુસાફરોનાં મોત: પોલીસ કમિશનર

Ahmedabad Plane Crash: અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે આજે 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફની માત્ર ગણતરીની મિનિટોમાં હવામાં અગનગોળો બનીને સીધું ધરતી પર તૂટી પડયું. આની સાથે પ્લેનમાં સવાર પાયલોટ, ક્રૂ મેમ્બર્સ સહિત 241 પ્રવાસીઓ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હતા. પરંતુ પોલીસ કમિશનરના નિવેદન અનુસાર આ વિમાનમાં સવાર એક વ્યકિતનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે. તમામ મુસાફરોનાં મૃત્યુની આશંકા વચ્ચે 11A નંબરની સીટ પરનો મુસાફર જીવિત હોવાનું સામે આવ્યું છે. 

App Store

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું નિવેદન
અત્યાર સુધી એવી હકીકત સામે આવી રહી હતી જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ યાત્રિકોનાં મોત થયા છે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યકિત જીવતો સામે આવ્યો છે. જો કે, તેની હાલત ગંભીર છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજી તંત્રની શોધખોળ યથાવત્ છે. 

રાજ્યના આરોગ્ય સચિવનું નિવેદન
ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે આશરે 50 ઘાયલ લોકોને અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેઓ ગંભીર છે પરંતુ સ્થિર છે. બીજે મેડિકલ કૉલેજમાં ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી વિમાન પ્રવાસીઓના પરિવારો અને નજીકના સગા, માતા-પિતા અને બાળકોને વિનંતી કરવામાં આવી રહી છે કે કોઈપણ જાતની પૂછપરછ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બે હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવી રહી છે.  6357373831 અને  6357373841. પરિવારના સભ્યો કે મદદ માટે આ નંબરો પર સંપર્ક કરી શકો છો.