Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Another Air India flight from Ahmedabad to London cancelled

Ahmeadabd news: અમદાવાદથી લંડન જતી Air Indiaની વધુ એક ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahmeadabd news: અમદાવાદથી લંડન જતી Air Indiaની વધુ એક ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા

અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરી છે. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.

App Store

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે કહ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. નંબર AI 171 ને બદલે, વિમાનને હવે નંબર AI 159 આપવામાં આવ્યો છે.

સવારથી જ ફ્લાઇટ મોડી પડી 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉડાન ભરવાની હતી. પણ સવારથી જ ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે આ ફ્લાઇટ કોઈ ખામીને કારણે રદ કરવામાં આવી છે.