VIDEO: અમદાવાદના વર્ષ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને પીડિતે આવકાર્યો
સોર્સ : gstv
અમદાવાદ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને પીડિતોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સિવિલ હોસ્પિટલ પાસે ચાની લારી ચલાવતા અને બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા તુલસી ભીલે કોર્ટના આદેશને આવકાર્યો છે. વર્ષ ૨૦૦૮ના એ કાળા દિવસે સિવિલ હોસ્પિટલ પાસે થયેલા વિસ્ફોટમાં તુલસીભાઈના શરીરમાં ૧૪ જેટલા છરા વાગ્યા હતા.મોતને નજીકથી જોનાર તુલસીભાઈ ૨૮ દિવસની લાંબી સારવાર બાદ સાજા થયા હતા. આજે વર્ષો બાદ આવેલા આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, "આ ન્યાયની જીત છે." ભલે તેમને શારીરિક ઈજાઓ આજે પણ તે દિવસની યાદ અપાવે છે, પરંતુ કોર્ટના ચુકાદાથી તેમને અને અન્ય પીડિત પરિવારોને માનસિક શાંતિ મળી છે.

