VIDEO: 2,000થી વધુ UPI પેમેન્ટ પર MDR મુદ્દે AAPનો વિરોધ
સોર્સ : gstv
અમદાવાદમાં 2,000થી વધુના મર્ચન્ટ UPI ટ્રાન્જેક્શન પર 0.4 ટકા MDR લાગુ કરવાના નિર્ણય સામે AAPએ વિરોધ નોંધાવ્યો છે. NPCIના નવા માળખા મુજબ આ નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે અને ચોક્કસ મર્ચન્ટ પેમેન્ટ પર MDR લાગશે. AAPના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આક્ષેપ કર્યો કે MDRના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે. તેમના જણાવ્યા મુજબ વેપારીઓનો નફો મર્યાદિત હોય છે, ત્યારે આ ચાર્જથી વેપારીઓને નુકસાન થઈ શકે છે. સોરઠીયાએ સરકારના નિર્ણયનો વિરોધ કરવા ગુજરાતની જનતાને અપીલ કરી છે અને જરૂર જણાશે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી પણ આપી છે.

