VIDEO: અમદાવાદમાં પ્રથમવાર ઉજવાશે 45 દિવસનો શ્રાવણ માસ: મહાકાલ મંદિર સરદાર નગર દ્વારા વિશેષ આયોજન
સોર્સ : gstv
અમદાવાદમાં પ્રથમ વખત ઉજ્જૈનની પરંપરા મુજબ ૪૫ દિવસનો શ્રાવણ માસ ઉજવવામાં આવશે. શ્રી મહાકાલ મંદિર સરદાર નગર દ્વારા આયોજિત આ મહોત્સવમાં 6 સોમવારે ભગવાન મહાકાલના ભવ્ય ભાંગના શણગાર કરાશે….૧૫ ઓગસ્ટે તિરંગા શણગાર, ૧૭ ઓગસ્ટે નાગપંચમી અને ૨૮ ઓગસ્ટે રક્ષાબંધને 21 હજાર લાડુનો મહાભોગ ધરાવાશે અને ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ શણગાર થશે....શ્રાવણ દરમિયાન ભસ્મ આરતી માટે સવારે ૩ વાગ્યે દ્વાર ખૂલશે, જ્યારે સવારે સાડા પાંચથી બપોરે સાડા ત્રણ સુધી જળ અભિષેક તથા સાંજે સાડા સાત અને રાત્રે સાડા 10 વાગ્યે આરતી થશે. ભક્તોને દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે.

