VIDEO: ANDARNI VAAT / રુદ્રપ્રયાગમાં ભક્તિનો ઉમંગ: મુસળધાર વરસાદ વચ્ચે કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ!
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા શ્રી કેદારનાથ ધામમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું છે. હિમાલયની પહાડીઓમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદ અને પ્રતિકૂળ હવામાન છતાં બાબા કેદારના દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહુંચી રહ્યા છે. ધામમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં લોકો કલાકો સુધી રાહ જોઈને બાબા ભોલેનાથના દર્શન અને પૂજા-અર્ચના કરી રહ્યા છે. પહાડી વિસ્તારોમાં સતત પવન અને ધોધમાર વરસાદ હોવા છતાં ભક્તોના ઉત્સાહ અને આસ્થામાં કોઈ કમી જોવા મળી નથી. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં બાબા કેદારના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ કઠિન ચઢાણ અને વરસાદી માહોલને પાર કરીને પણ ધામમાં પહોંચી રહ્યા છે.
કેદારનાથ ધામમાં પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય વાતાવરણ વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી તંત્ર માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. પહાડી રસ્તાઓ પર વરસાદના કારણે મુશ્કેલીઓ હોવા છતાં બાબા કેદારના જયઘોષથી આખો રુદ્રપ્રયાગ પંથક ગુંજી રહ્યો છે. કડકડતી ઠંડી અને સતત વરસી રહેલા વરસાદી પાણી વચ્ચે પણ શ્રદ્ધાળુઓ ધૈર્યપૂર્વક કતારમાં ઉભા રહીને દર્શનની પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રાવણ માસની આસ્થાના કારણે કેદારનાથ ઘાટીમાં અનોખો ધાર્મિક માહોલ સર્જાયો છે. રુદ્રપ્રયાગના દુર્ગમ પહાડી માર્ગો પરથી પસાર થઈને કેદારનાથ પહોંચતા ભક્તોનો આ અદમ્ય ઉત્સાહ સાબિત કરે છે કે બાબા ભોલેનાથ પ્રત્યેની ગાઢ શ્રદ્ધા આગળ કુદરતી પડકારો અને આકરા હવામાન પણ ગૌણ સાબિત થાય છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

