Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Why won't Shilpa Shetty celebrate Ganesh Chaturthi?

Entertainment : શિલ્પા શેટ્ટી કેમ ગણેશ ચતુર્થીની ઉજવણી નહિ કરે?

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment : શિલ્પા શેટ્ટી કેમ ગણેશ ચતુર્થીની ઉજવણી નહિ કરે?
સોર્સ : GSTV

શિલ્પા શેટ્ટી ગણેશ ચતુર્થી પર આ વર્ષે બાપ્પા ઘરે લાવશે નહિ, વર્ષ 2002 થી, દર વર્ષે શિલ્પા અને તેનો પરિવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે વિઘ્નહર્તાનું તેમના ઘરે સ્વાગત કરે છે. આ વખતે 2025 માં, શિલ્પા ગણેશ ચતુર્થી ઉજવશે નહીં.

App Store

આ વખતે શિલ્પા શેટ્ટી ગણેશજીના આગમનની ઉજવણી નહીં કરે અને 22 વર્ષ જૂની પરંપરા તોડશે. જાણો શું છે કારણ?

25 ઓગસ્ટ સોમવાર ના રોજ, તહેવારના બે દિવસ પહેલા, શિલ્પાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે પરિવારમાં મૃત્યુને કારણે આ વર્ષે ગણેશ ચતુર્થી ન ઉજવવા અંગે વાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, શિલ્પાએ એક નોંધ શેર કરી જેમાં લખ્યું હતું કે, “ખૂબ જ દુઃખ સાથે, અમને તમને જણાવતા દુઃખ થાય છે કે પરિવારના એક સભ્યના મૃત્યુને કારણે, આ વર્ષે અમે ગણપતિ ઉત્સવ ઉજવી શકીશું નહીં.” તેણે જણાવ્યુ કે પરિવાર 13 દિવસ સુધી શોક કરશે અને તેથી કોઈ પણ ઉત્સવ ઉજવશે નહીં. સ્ટોરીમાં લખ્યું છે કે, “પરંપરા મુજબ, અમે 13 દિવસ સુધી શોક મનાવીશું અને તેથી કોઈપણ ધાર્મિક ઉત્સવોથી દૂર રહીશું. આભાર, કુન્દ્રા પરિવાર.”

શિલ્પા શેટ્ટી પરિવારના કોઈ સભ્યના મૃત્યુના કોઈ સત્તાવાર સમાચાર નથી, પરંતુ નોંધ પરથી સ્પષ્ટ થાય છે કે તે રાજ કુન્દ્રા અને પરિવારની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. નોંધના અંતે “કુંદ્રા પરિવાર” લખેલું છે જે તેમના પરિવારમાં કોઈના મૃત્યુનો સીધો સંકેત આપે છે.