Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Who will become the owner of Karisma Kapoor's ex-husband Sanjay Kapoor's property?

4 બાળકો-3 પત્નીઓ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની 13,000 કરોડની સંપત્તિનો વારસદાર કોણ? 

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2025
લાઇવ ટીવીGoogle News
4 બાળકો-3 પત્નીઓ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની 13,000 કરોડની સંપત્તિનો વારસદાર કોણ? 

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના અચાનક અવસાનથી તેનો આખો પરિવાર આઘાતમાં છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું ગુરુવાર, 12 જૂન 2025ના રોજ અવસાન થયું હતું. ઉદ્યોગપતિનું ઇંગ્લેન્ડમાં પોલો રમતી વખતે અવસાન થયું હતું, પરંતુ તેના અંતિમ સંસ્કાર ભારતમાં જ થવાના છે. સંજય કપૂર અમેરિકન નાગરિક હતા, જેના કારણે તેના મૃતદેહને ભારત લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિના અવસાન બાદ તેની મિલકતના વારસદાર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

App Store

સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા અને તેઓ 4 બાળકોના પિતા છે. તેમણે પહેલા 1996માં ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન ફક્ત 4 વર્ષ સુધી ટકી શક્યા હતા. 2000માં આ દંપતી છૂટાછેડા લઈને અલગ થઈ ગયું. આ લગ્નથી સંજય કપૂરને કોઈ સંતાન નથી.

પહેલી પત્ની સાથેનો સંબંધ 4 વર્ષમાં તૂટી ગયો

નંદિતા મહતાનીથી છૂટાછેડા લીધા પછી સંજય કપૂરે 2003માં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતાં. આ લગ્નથી તેમને બે બાળકો છે, સમાયરા અને કિયાન. લગ્નના થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ જેના કારણે 2016માં બંનેએ છૂટાછેડા લીધા હતાં.

કરિશ્મા કપૂરને કરોડો રૂપિયાનું ભરણપોષણ આપવામાં આવ્યું હતું

અહેવાલ મુજબ, કરિશ્મા કપૂર સાથેના છૂટાછેડા પછી સંજય કપૂરે તેને લગ્નના ઘરેણાં અને ભરણપોષણ આપ્યું હતું. અભિનેત્રીથી છૂટાછેડા પછી ઉદ્યોગપતિએ તેને 70 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપ્યું હતું. આ સાથે સંજયે ખારમાં તેના પિતાનું ઘર પણ કરિશ્માને ટ્રાન્સફર કર્યું હતું. છૂટાછેડા દરમિયાન ભૂતપૂર્વ દંપતી વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને અંતે કરિશ્મા કપૂરને બાળકોની કસ્ટડી મળી, પરંતુ સંજય કપૂરને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો. આ સાથે કોર્ટે સંજય કપૂરને તેના બાળકોને મળવાની પણ મંજૂરી આપી હતી. સંજય કપૂરે કરિશ્મા સાથે તેના બે બાળકો માટે 14 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા, જે લગભગ 10 લાખ રૂપિયાનું વ્યાજ આપે છે.

ત્રીજી પત્ની મિલકતની માલિક હશે

કરિશ્માથી છૂટાછેડા પછી ઉદ્યોગપતિએ મોડેલ અને અભિનેત્રી પ્રિયા સચદેવ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતાં. તેમણે વર્ષ 2017માં પ્રિયા સાથે લગ્ન કર્યા હતાં. પ્રિયા સચદેવના સંજય કપૂર સાથે લગ્ન પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેમના પહેલા લગ્નથી તેમને એક પુત્રી (સફીરા) છે. સંજય કપૂરથી અભિનેત્રીને એક પુત્ર અઝારિયસ છે. સંજય કપૂર પાસે તેમની સાવકી પુત્રી સફીરા અને તેમના ત્રણ બાળકોની જવાબદારી હતી. હવે સંજય કપૂરના મૃત્યુ પછી તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ તેમની મિલકતની માલિક હશે. 13 હજાર કરોડના બિઝનેસની કમાન હવે પ્રિયા સચદેવના હાથમાં રહેશે.