Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : UK government gave Chiranjeevi Lifetime Achievement Award

વિદેશમાં પણ ચાલ્યો મેગાસ્ટાર ચિરંજીવીનો જાદુ, બ્રિટેન સરકારે આપ્યો 'લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ'

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2025
લાઇવ ટીવીGoogle News
વિદેશમાં પણ ચાલ્યો મેગાસ્ટાર ચિરંજીવીનો જાદુ, બ્રિટેન સરકારે આપ્યો 'લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ'

તેલુગુ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીને કોઈ પરિચયની જરૂર નથી. સિનેમામાં તેમના ઉત્તમ કાર્ય માટે તેમની ઘણીવાર પ્રશંસા થાય છે. આ અભિનેતાને સરકાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે, પરંતુ હવે તેમની સિદ્ધિઓમાં એક નવો પુરસ્કાર ઉમેરાયો છે. મેગાસ્ટાર આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી બન્યા છે.

App Store

બ્રિટિશ સરકારે ચિરંજીવીને 'લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કર્યા છે. ખાસ વાત એ છે કે આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અભિનેતા બન્યા છે. તમને જણાવી દઈએ કે તેમને લંડનમાં બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ચિરંજીવીને આ કારણે એવોર્ડ આપવામાં આવ્યો હતો

અભિનેતા ચિરંજીવીને સિનેમા અને સમાજમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 19 માર્ચ 2025ના રોજ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બ્રિટિશ સંસદમાં તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો એવોર્ડ સિનેમા અને ભારત માટે ગર્વ લેવાની વાત છે. આ એવોર્ડનું આયોજન 'બ્રિજ ઈન્ડિયા' નામના થિંક ટેન્ક દ્વારા કરવામાં આવ્યું હતું. ચિરંજીવીને સિનેમા, જાહેર સેવા અને પરોપકારમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સન્માન સમારોહમાં બ્રિટેન લેબર પાર્ટીના સાંસદ નવેન્દ્રુ મિશ્રા, સાંસદ સોજન જોસેફ અને બોબ બ્લેકમેન હાજર રહ્યા હતા. આ ખાસ સિદ્ધિ બાદ, ચિરંજીવીના ફેન્સ સોશિયલ મીડિયા પર એવોર્ડ સમારોહના ફોટો અને વીડિયો શેર કરી રહ્યા છે.

ચિરંજીવીને ભારતમાં આ સન્માન આપવામાં આવ્યા છે

ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ સન્માન મેળવનારા સ્ટાર્સની યાદીમાં મેગાસ્ટાર ચિરંજીવીનું નામ પ્રથમ ક્રમે છે. ગયા વર્ષે, ચિરંજીવીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ વિભૂષણ' થી નવાજવામાં આવ્યા હતા. વધુમાં, તે જ વર્ષે, અભિનેતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી સફળ એક્ટર-ડાન્સર તરીકે નોંધાયું હતું, જેમાં તેમણે 537 ગીતો અને 156 ફિલ્મોમાં 24,000થી વધુ ડાન્સ સ્ટેપ્સ આપ્યા હતા. તેમને 2024માં ANR શતાબ્દી વર્ષમાં અક્કીનેની ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ANR નેશનલ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.

ચિરંજીવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તેમણે હજુ સુધી કોઈ મોટા પ્રોજેક્ટરની સત્તાવાર જાહેરાત નથી કરી. જોકે, ફેન્સ તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.