'The Family Man' એક્ટર Rohit Basforeનું થયું નિધન, મનોજ બાજપેયી પોસ્ટ શેર કરી આપી શ્રદ્ધાંજલિ

લોકોની ફેવરિટ સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ના અભિનેતા રોહિત બાસફોર (Rohit Basfore) ના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. અહેવાલો અનુસાર, રોહિત બાસફોરનો મૃતદેહ રવિવારે સાંજે ગરભંગા જંગલમાં એક ધોધ પાસે મળી આવ્યો હતો, તે મુંબઈથી તેના મિત્રો સાથે ગુવાહાટી ગયો હતો. કામરૂપના પોલીસ અધિક્ષક રંજન ભુયને અભિનેતાના મૃત્યુ બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેમને રવિવારે સાંજે લગભગ 4:06 વાગ્યે ફોન આવ્યો હતો, ત્યારબાદ ડાઈવર્સ દ્વારા રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે અભિનેતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
રોહિત બાસફોર (Rohit Basfore) માત્ર 25 વર્ષનો હતો અને ટૂંક સમયમાં જ પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ની સિઝન 3માં મનોજ બાજપેયી સાથે જોવા મળવાનો હતો. રોહિતના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, સિરીઝમાં 'શ્રીકાંત તિવારી' નું પાત્ર ભજવનાર મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો અને તેને શ્રદ્ધાંજલિ આપી છે.
મનોજ બાજપેયીએ લખ્યું- ખૂબ જલ્દી ચાલ્યા ગયા
મનોજ બાજપેયીએ તેના 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) ના કો-એક્ટર રોહિત બાસફોર (Rohit Basfore) ના નિધન બાદ તેને શ્રદ્ધાંજલિ આપી. તેણે પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી અને લખ્યું, "ભગવાન તમારી આત્માને શાંતિ આપે રોહિત બાસફોર. ખૂબ જલ્દી ચાલ્યા ગયા. તમારા પરિવાર પ્રત્યે અમારી સંવેદના. ઓમ શાંતિ."
મનોજ બાજપેયીની પોસ્ટ પર ફેન્સ પણ અભિનેતા રોહિત (Rohit Basfore) ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "RIP રોહિત". બીજા યુઝરે લખ્યું, "દુઃખદ, ઓમ શાંતિ." બીજા એક યુઝરે લખ્યું, "ભાઈ, ફક્ત ટ્વીટ ન કરો, તેમના પરિવારના સ્વાસ્થ્ય વિશે પણ પૂછો".
પોલીસ રોહિત બાસ્ફોરના મૃત્યુના કેસની તપાસ કરી રહી છે
તમને જણાવી દઈએ કે 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) પહેલા તે ઘણી બીજી વેબ સિરીઝમાં જોવા મળી ચૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા હોવા ઉપરાંત, તે આસામમાં જીમ ટ્રેનર પણ હતો. એક અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે આ ડૂબવાનો મામલો હોઈ શકે છે.
મૃતદેહ મળ્યા પછી, તેને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. એસપી રંજન ભુયને જણાવ્યું હતું કે તેના પરિવારનો હજુ સુધી સંપર્ક નથી કરવામાં આવ્યો અને પોલીસ નક્કર પુરાવા વિના આ હત્યા છે કે અભિનેતાએ આત્મહત્યા કરી તે અંગે કોઈ માહિતી શેર કરી શકતી નથી.

