Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shefali Jariwala made her Bollywood debut with Salman-Akshay's film, what was her net worth?

Shefali Jariwalaએ સલમાન-અક્ષયની ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યૂ, કેટલી હતી નેટવર્થ?

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Shefali Jariwalaએ સલમાન-અક્ષયની ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યૂ, કેટલી હતી નેટવર્થ?

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુ:ખદ સમાચાર આવ્યા છે. 'કાંટા લગા' ગીતથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે નિધન થયું છે. એવું કહેવાય છે કે તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. તેના પતિ, અભિનેતા પરાગ ત્યાગી, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલના એક કર્મચારીએ એક વરિષ્ઠ પત્રકારને જણાવ્યું, "શેફાલીને લાવવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પતિ અને કેટલાક અન્ય લોકો તેની સાથે હતા." આ સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે.

App Store

શેફાલી જરીવાલાએ 2002માં રિમેક પોપ સોન્ગ 'કાંટા લગા'થી રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી. આ ગીતે તેને ઘર-ઘરમાં નામના અપાવી હતી. ત્યારબાદ, 2004માં તેણે સલમાન ખાન અને અક્ષય કુમાર અભિનીત 'મુઝસે શાદી કરોગી'માં નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે આ તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી. જોકે તેની ફિલ્મ કારકિર્દી લાંબી ચાલી નહીં, પરંતુ તેણે ટીવીની દુનિયામાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.

શેફાલીએ 'નચ બલિયે' અને 'બિગ બોસ 13' જેવા લોકપ્રિય રિયાલિટી શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેના વ્યક્તિત્વ અને નૃત્યએ દર્શકોના દિલ જીતી લીધા હતા. 'નચ બલિયે'માં તેણે તેના પતિ પરાગ ત્યાગી સાથે જોડી બનાવીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા. 'બિગ બોસ 13'માં તેની હાજરીએ પણ તેને હેડલાઇન્સમાં રાખી હતી. 

તેના પ્રથમ લગ્ન

પરાગ ત્યાગી સાથે લગ્ન કરતા પહેલા, શેફાલી જરીવાલાએ 2004માં સંગીતકાર હરમીત સિંહ, જે મીટ બ્રધર્સ તરીકે પણ ઓળખાય છે, તેની સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ 2009માં છૂટાછેડા લીધા હતા. તે સમયે, શેફાલીએ તેની સામે ઘણા આરોપો પણ લગાવ્યા હતા. ત્યારબાદ, અભિનેત્રીએ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.

શેફાલી જરીવાલા કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ગ્રેજ્યુએટ હતી. 15 વર્ષની ઉંમરે તેને પ્રથમ વખત એપિલેપ્ટિક એટેક આવ્યો હતો અને તણાવ અને ચિંતાને કારણે તેને આંચકી આવતી હતી, પરંતુ વ્યાયામને કારણે તેને આંચકી આવતી નહોતી અને તેણે ડિપ્રેશન સામે લડવાનો પણ પ્રયાસ કર્યો હતો. નેટવર્થની વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર શેફાલીની નેટવર્થ 7.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

શેફાલી જરીવાલાનું અચાનક નિધન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે મોટો આઘાત છે. તેના ચાહકો અને સહ-કલાકારો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.