Entertainment: સંજય લીલા ભણશાલીએ દર્શકો સામે ફરી એક નવો પ્રોજેક્ટ કર્યો રિવાઈવ

સંજય લીલા ભણશાલીએ તેનો ફરી એક નવો 'Baiju Bawra' પ્રોજેક્ટ રિવાઈવ કર્યો હોવાનું કહેવાય છે. નવાં અપડેટ મુજબ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે. આ પહેલા આ રોલ માટે રણવીર સિંહનું નામ ચર્ચામાં હતું. એક રિપોર્ટ અનુસાર, સંજય લીલા ભણશાલીએ પોતાની આગામી સંગીતમયી રોમેન્ટિક ફિલ્મ માટે રણબીર કપૂરને ફાઇનલ કર્યો છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે.
રણબીર કપૂરે કેવી રીતે કરી ફિલ્મની તૈયારી?
રણબીર કપૂર રોજ સવારે 1950ના દાયકાના ક્લાસિક ગીતો સાંભળે છે. જેમાં બૈજુ બાવરાના ગીતો પણ સામેલ છે. તેના આધારે તે આ ફિલ્મની તૈયારી કરી રહ્યો હોવાનું મનાય છે.
રણવીર સિંહ માટે આ ફિલ્મ ગુમાવવી તે એક બહુ મોટો ફટકો છે. તેની 'Shaktiman' અને 'Rakshas' સહિતની ફિલ્મો શરુ થતાં પહેલાં જ બંધ રહી ચૂકી છે. તેના કેરિયરનો મોટો દારોમદાર હવે આગામી ફિલ્મ 'Dhurandhar' પર છે

