Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranveer Allahabadia returned to work after controversy

VIDEO / વિવાદ બાદ કામ પર પાછો ફર્યો રણવીર અલ્હાબાદિયા, હાથ જોડીને માંગી માફી

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2025
લાઇવ ટીવીGoogle News

રણવીર અલ્હાબાદિયા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલો હતો. તે સમયે રૈનાના 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં જોવા મળ્યો હતો. જ્યાં તેણે અશ્લીલ ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ ઉભો થયો અને તેની ટીકા થઈ રહી હતી. આ પછી રણવીરે વીડિયો શેર કરીને માફી પણ માંગી હતી. હવે રણવીરે કહ્યું કે તે કામ પર પાછો ફરી રહ્યો છે.

App Store

રણવીર કામ પર પાછો ફર્યો

રણવીર અલ્હાબાદિયાએ વીડિયો પોસ્ટ કર્યો છે જેની શરૂઆતમાં લખ્યું છે, "કહેવા માટે ઘણું બધું છે પણ હમણાં નહીં. તમારી ધીરજ બદલ આભાર." આ પછી તે વીડિયોમાં ખે છે, "નમસ્તે મિત્રો. બધા સપોર્ટર્સ અને વેલ વિસર્સનો આભાર. તમારા પોઝિટીવ મેસેજથી મને અને મારા આખા પરિવારને ખૂબ મદદ મળી. કારણ કે આ ફેઝ ખૂબ જ મુશ્કેલ હતો. ખુલ્લેઆમ ધમકીઓ મળી, ઓનલાઈન હેટ કમેન્ટ, મીડિયામાં આટલા બધા લેખો, ઘણું બધું જોયું. આ બધા વચ્ચે, તમારા મેસેજે અમને ખૂબ સપોર્ટ આપ્યો. TRSના મહેમાનોએ મારો સંપર્ક કર્યો, અભિનેતાઓ, ક્રિકેટરો, બિઝનેસ, બધાનો આભાર."

રણવીરે આગળ કહ્યું, "જીવનની સૌથી ખરાબ ક્ષણોમાં તમને ખ્યાલ આવે છે કે તમારા માર્ગ પર માત્ર સફળતા જ  તમારો સાથ નહીં ચાલતી. તમારે નિષ્ફળતાનો પણ સામનો કરવો પડશે. એટલા માટે આજે હું મારા હૃદયની લાગણીઓ તમારી સમક્ષ રજૂ કરીશ. ખાસ કરીને તેમના માટે જેમણે આટલા વર્ષોથી અમને મદદ કરી છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રેક લીધા વિના દર અઠવાડિયે 2-3 વીડિયો રિલીઝ કરી રહ્યો છું. હવે મને ફરજિયાત બ્રેક મળ્યો. હું સ્થિરતા સાથે જીવવાનું શીખ્યો. એ જાણીને ખૂબ આનંદ થયો કે ઘણા બધા ભારતીયો અમને પરિવારના સભ્ય માને છે. ઘણા લોકો મને પુત્ર માને છે, ભાઈ માને છે. ખાસ કરીને તે બધાની માફી માંગું છું. આવનારા 10-20-30 વર્ષોમાં, જ્યારે પણ હું કન્ટેન્ટ બનાવીશ, ત્યારે હું તેને વધુ જવાબદારી સાથે બનાવીશ. મને સમજાયું છે કે મારા ખભા પર કેટલી મોટી જવાબદારી છે. ઘણા બાળકો પણ અમારો શો જુએ છે. હું ખૂબ જ જવાબદારી સાથે કામ કરીશ."

માનસિક સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખ્યું?

રણવીરે આગળ કહ્યું, "TRSના રી-સ્ટારટિંગ ફેઝમાં જે લોકોએ અમારો સપોર્ટ કર્યો છે, હું તેમને વિનંતી કરું છું કે તેઓ મારા માટે ફરીથી તેમના હૃદયમાં સ્થાન બનાવે. મને એક વાર તક આપે. મને કન્ટેન્ટ ક્રિએશન ખૂબ ગમે છે. આપણા દેશની સંસ્કૃતિને એક્સપ્લોર કરવી એ મારો શોખ છે. જ્યારે મારું માનસિક સ્વાસ્થ્ય બગડતું હતું, ત્યારે ધ્યાન, સાધના અને પ્રાર્થના દ્વારા મને સમજાયું કે ફક્ત ભગવાન જ તમારી સાથે છે. આ ફેઝ શીખવાનો ફેઝ છે. આ ભગવાન તરફથી ગિફ્ટ છે. હવે હું ફક્ત મારા કામને બોલવા દઈશ. મારી ટીમ અને પરિવારે મને સપોર્ટ આપ્યો. મને આશા છે કે તમે બધા મને અને મારી ટીમને સપોર્ટ કરશો. હવે એક નવો રણવીર જોવા મળશે. પોડકાસ્ટ ટૂંક સમયમાં રિલીઝ થશે."

ટોપિક્સ:Ranveer Allahbadiacontroversy