Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Left the world of glamour and adopted the life of a hermit gujarati news

ઐશ્વર્યા રાયને આપતી હતી ટક્કર, ગ્લેમરની દુનિયા છોડી અપનાવ્યું સંન્યાસી જીવન 

Timeછેલ્લું અપડેટ : 15 May 2025
લાઇવ ટીવીGoogle News
ઐશ્વર્યા રાયને આપતી હતી ટક્કર, ગ્લેમરની દુનિયા છોડી અપનાવ્યું સંન્યાસી જીવન 

બોલિવૂડનો ગ્લેમર ઘણા કલાકારોને આકર્ષે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જે ગ્લેમરને પાછળ છોડીને આધ્યાત્મિકતાને અપનાવે છે. આજે તમને એક એવી અભિનેત્રીની કહાની જણાવીશું, જેણે પોતાની મરજીથી ગ્લેમરસ જીવનને અલવિદા કહ્યું એટલું જ નહીં, તે ફિલ્મી દુનિયાથી પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. તેમણે એવો માર્ગ પસંદ કર્યો જેની કદાચ સામાન્ય લોકો કલ્પના પણ ન કરી શકે - ધર્મ અને આધ્યાત્મિક સાધનાનો માર્ગ. હવે આ અભિનેત્રી સાધુ તરીકે રહે છે. એક સમયે ફિલ્મ જગતમાં જાણીતું નામ રહેલી આ અભિનેત્રી શોબિઝથી દૂર એક એવું જીવન જીવી રહી છે, જે જીવવું સરળ નથી.

App Store

મિસ ઇન્ડિયા તરફથી મળી ઓળખ

અહીં વાત કરી રહ્યા છીએ બરખા મદન વિશે, એક મોડેલ, બ્યુટી ક્વીન અને અભિનેત્રી, જેમણે ગ્લેમરની દુનિયાને સંપૂર્ણપણે છોડીને બૌદ્ધ સાધુ બનવાનું નક્કી કર્યું. અભિનેત્રીએ પોતાનું નામ પણ બદલ્યું અને આજે તે ગ્યાલટેન સામતેન તરીકે ઓળખાય છે. બરખાએ 1994માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય જેવા પ્રખ્યાત ચહેરાઓ સામેલ હતા. સુષ્મિતા અને ઐશ્વર્યા વિજેતા અને રનર-અપ રહી, જ્યારે બરખાએ મિસ ટુરિઝમ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને મલેશિયામાં આયોજિત મિસ ટુરિઝમ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું.

ફિલ્મો અને ટીવીમાં અભિનય કારકિર્દી

બરખાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત 1996માં ફિલ્મ 'ખિલાડીયો કા ખિલાડી'થી કરી હતી, જેમાં અક્ષય કુમાર, રેખા અને રવિના ટંડન જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મ હિટ રહી હતી. આ પછી 2003માં તેને રામ ગોપાલ વર્માની અલૌકિક થ્રિલર 'ભૂત' માં એક મહત્વપૂર્ણ ભૂમિકા મળી, જેમાં તેણે 'મનજીત ખોસલા' ની ભૂમિકા ભજવીને દર્શકો અને વિવેચકો બંનેને પ્રભાવિત કર્યા. આ દરમિયાન તે અનેક ટીવી શોમાં પણ જોવા મળી, જેમ કે સામાજિક સિરિયલ 'ન્યાય' અને ઐતિહાસિક શો '1857 ક્રાંતિ', જેમાં તે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. બાદમાં તે 'સાથ ફેરે - સલોની કા સફર' જેવી લોકપ્રિય સિરિયલોનો ભાગ હતી, જે 2005થી 2009 સુધી ચાલી હતી.

નિર્માતા બની અને પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

વર્ષ 2010માં બરખાએ નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને 'ગોલ્ડન ગેટ એલએલસી' નામની પોતાની કંપની શરૂ કરી, જેના હેઠળ તેણે 'સોચ લો' અને 'સુરખાબ' જેવી સ્વતંત્ર ફિલ્મોનું નિર્માણ અને અભિનય કર્યો. બરખા લાંબા સમયથી દલાઈ લામાની અનુયાયી છે. 2012માં તેમણે સત્તાવાર રીતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ભીક્ષુત્વ અપનાવ્યું. છેલ્લા 13 વર્ષથી તે ગ્લેમર અને કેમેરાની દુનિયાથી દૂર હિમાચલ અને લદ્દાખ જેવા શાંત સ્થળોએ સંન્યાસી તરીકે રહી રહી છે. બરખા મદનનું આ નવું જીવન એવા થોડા લોકો માટે એક ઉદાહરણ છે જેઓ ગ્લેમરથી ઉપર જીવનની સાચી શાંતિ અને સંતોષને મહત્ત્વ આપે છે.