Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kesari 2 gets PM Modi's support before release

Kesari 2ને રિલીઝ પહેલા PM Modiનો મળ્યો સપોર્ટ, અક્ષય કુમારે પ્રધાનમંત્રીનો માન્યો આભાર 

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Kesari 2ને રિલીઝ પહેલા PM Modiનો મળ્યો સપોર્ટ, અક્ષય કુમારે પ્રધાનમંત્રીનો માન્યો આભાર 

અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'કેસરી: ચેપ્ટર 2' (Kesari 2) આજકાલ સમાચારમાં છે. આ દેશભક્તિપૂર્ણ ફિલ્મના ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

App Store

આ ફિલ્મ 13 એપ્રિલ 1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી એક અજાણી અને ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા દર્શાવે છે. એટલું જ નહીં આ ફિલ્મમાં જે ઐતિહાસિક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે - સી. શંકરન નાયર (C. Sankaran Nair)- તેમને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) તેમના તાજેતરના ભાષણમાં યાદ કર્યા હતા.

પીએમ મોદીએ શંકરન નાયરના યોગદાનને યાદ કર્યું

ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે હિસારમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ (PM Modi) જલિયાંવાલા બાગ હત્યાકાંડને 106 વર્ષ પૂર્ણ થવા પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. પરંતુ આ પીડાદાયક ઇતિહાસનું એક પાસું છે જેને ઘણું હદ સુધી ભૂલાવી દેવામાં આવ્યું - અને તે છે સી. શંકરન નાયરનું (C. Sankaran Nair) યોગદાન.

પ્રધાનમંત્રીએ (PM Modi) કહ્યું કે શંકરન નાયર (C. Sankaran Nair) તે યુગના પ્રખ્યાત વકીલ હતા અને બ્રિટિશ શાસનકાળમાં ઉચ્ચ પદ પર હતા. પરંતુ જ્યારે તેમણે જલિયાંવાલા બાગમાં થયેલી બર્બરતા જોઈ, ત્યારે તેમણે ન માત્ર તે પદને નકારી કાઢ્યું, પરંતુ કોર્ટમાં ખુલ્લેઆમ અંગ્રેજો વિરુદ્ધ અવાજ પણ ઉઠાવ્યો.

કોર્ટમાં અંગ્રેજોને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો

પીએમ મોદીએ (PM Modi) પોતાના ભાષણમાં કહ્યું કે શંકરન નાયરે (C. Sankaran Nair) જલિયાંવાલા બાગ હત્યાકાંડનો કેસ સંપૂર્ણ નિર્ભયતા અને હિંમતથી લડ્યો. આ જ ભાવનાએ સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી અને દેશના યુવાનોને અન્યાય સામે ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. મોદીએ (PM Modi)  આને "સ્વતંત્રતાની સાચી ભાવના" તરીકે વર્ણવ્યું અને કહ્યું કે આ તે પ્રેરણા છે જે આજે વિકસિત ભારત તરફની આપણી યાત્રાને શક્તિ આપે છે.

અક્ષય કુમારે આભાર વ્યક્ત કર્યો

ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા પ્રધાનમંત્રીનાન(PM Modi)  આ ઉલ્લેખ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “મહાન સી. શંકરન નાયર (C. Sankaran Nair) અને તેમના યોગદાનને યાદ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Modi)  આભાર. આજની યુવા પેઢી માટે એ જાણવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણને આઝાદી કેવી રીતે મળી?

અમારી ફિલ્મ 'કેસરી: ચેપ્ટર 2' (Kesari 2) દ્વારા, અમે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આપણે ક્યારેય આપણી સ્વતંત્રતાને હળવાશથી ન લેવી જોઈએ." ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ જે રીતે તેને રાષ્ટ્રીય નાયકોના યોગદાન સાથે જોડવામાં આવી રહી છે, જેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે માત્ર એક ફિલ્મ નહીં પરંતુ એક ઐતિહાસિક અનુભવ સાબિત થશે.