Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hera Pheri 3 makers sent a legal notice to Paresh Rawal

'Hera Pheri 3' ના મેકર્સે પરેશ રાવલને મોકલી 25 કરોડ રૂપિયાની નોટિસ, શૂટિંગ વચ્ચે જ છોડી હતી ફિલ્મ

Timeછેલ્લું અપડેટ : 20 May 2025
લાઇવ ટીવીGoogle News
'Hera Pheri 3' ના મેકર્સે પરેશ રાવલને મોકલી 25 કરોડ રૂપિયાની નોટિસ, શૂટિંગ વચ્ચે જ છોડી હતી ફિલ્મ

પરેશ રાવલ હવે 'હેરા ફેરી' દુનિયાના બાબુ ભૈયા નહીં રહે, આ એક સમાચારે ફેન્સના ચહેરા પર નિરાશા લાવી દીધી. છેલ્લા 19 વર્ષથી 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે આ એક મોટો ઝટકો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે 'હેરા ફેરી' ના મેકર્સે પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે.

App Store

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલ 'હેરા ફેરી 3' (Hera Pheri 3) માંથી બહાર તી ગયો છે. આનું કારણ તેના અને મેકર્સ વચ્ચેનો ક્રિએટિવ ડિફરન્સ હોવાનું કહેવાય છે. પરંતુ તાજેતરની પોસ્ટ દ્વારા, પરેશ રાવલે સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેના અને મેકર્સ વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ નથી અને તે કોઈ અન્ય કારણોસર ફિલ્મ છોડી રહ્યો છે.

પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ થયો

હવે 'હેરી ફેરી' ના મેકર્સે પરેશ રાવલને અનપ્રોફેશનલ વર્તન બદલ કાનૂની નોટિસ મોકલી છે. એક અહેવાલો અનુસાર, 'હેરા ફેરી' ના મેકર્સ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે અનપ્રોફેશનલ વર્તન માટે 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે.

અહેવાલો અનુસાર, મેકર્સે હિસ્સેદાર પાસેથી 'હેરા ફેરી' ના અધિકારો ખરીદ્યા હતા. ફિલ્મ પર લીધેલા બધા દેવા પણ ચૂકવી દેવામાં આવ્યા. ખર્ચ કરાયેલ રકમ કરોડોમાં હતી કારણ કે તેનો હેતુ 20 વર્ષ પછી દર્શકો માટે હેરા ફેરી ફિલ્મને મોટા પડદા પર લાવવાનો હતો. પરંતુ પરેશના અનપ્રોફેશનલ વર્તનને કારણે ફિલ્મને મોટું નુકસાન થયું છે.

પરેશ રાવલે શૂટિંગ વચ્ચે જ ફિલ્મ છોડી દીધી

એવું પણ જાણવા મળ્યું હતું કે કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા ફિલ્મ પરનું તમામ દેવું ત્યારે જ ચૂકવવામાં આવ્યું જ્યારે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ફ્રેન્ચાઈઝની ત્રીજી ફિલ્મ કરવા માટે સંમત થયા. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું અને મેકર્સ જાહેરાતનો વીડિયો શૂટ કરી રહ્યા હતા. એક દિવસના શૂટિંગમાં પણ ઘણા પૈસા ખર્ચાયા હતા અને પરેશ રાવલના પાછળ હટી ગયા પછી, શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અભિગમ અનપ્રોફેશનલ અને અયોગ્ય છે.

ફિલ્મમાંથી પરેશને જે રીતે બહાર થઈ ગયો તેનાથી બધા નારાજ છે. અભિનેતાના અનપ્રોફેશનલ વર્તનને કારણે મેકર્સને કેમ નુકસાન સહન કરવું પડે? મેકર્સે પરેશને નુકસાનની ભરપાઈ કરવા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરેશ રાવલે ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યો હતો અને તેની બધી માંગણીઓ પણ પૂરી કરવામાં આવી હતી. એટલું જ નહીં, અભિનેતાને તેની સાઈનિંગ રકમ પણ મળી, જે માર્કેટ વેલ્યુ કરતા ત્રણ ગણી વધુ હતી.