Dhurandhar Review: ‘ધુરંધર’ માં રણવીર અને અક્ષય ખન્નાએ જીત્યું ફેન્સનું દિલ, પરંતુ ધનુષની ફિલ્મના કારણે...

આદિત્ય ધરની ‘ધુરંધર’ રિલીઝ થઈ ચૂકી છે અને તેના પ્રારંભિક રિવ્યુઝ આવવા લાગ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સંજય દત્ત સહિત અનેક સ્ટાર્સ છે. ફિલ્મ જોઈને લોકો શું કહી રહ્યા છે:
રણવીર સિંહ સ્ટારર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ આજે ૫ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે અને અનુમાન છે કે આ ફિલ્મ રણવીરને ચાર વર્ષમાં સૌથી મોટી ઓપનિંગ આપશે. ફિલ્મ ૧૯૯૯માં હાઇજેક કરાયેલા IC-814 અને ૨૦૦૧માં ભારતીય સંસદ પર થયેલા હુમલા પછીની વાર્તા પર આધારિત છે. ફિલ્મ માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. જેમણે ફિલ્મ જોઈ લીધી છે તેમણે તેના રિવ્યુઝ શેર કર્યા છે અને જણાવ્યું છે કે ‘ધુરંધર’ કેવી છે. તેમના મતે આ ફિલ્મ પહેલા જ ફ્રેમથી હિટ કરે છે અને રણવીર તો એકદમ છવાઈ ગયા છે.
‘ધુરંધર’ની એડવાન્સ બુકિંગ
‘ધુરંધર’ની એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મને લઈને હાઇપ અદ્ભુત છે, પરંતુ બુકિંગ એ ઝડપે નથી થઈ રહી. દેશમાં ૫૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થયેલી ‘ધુરંધર’ દમદાર વાર્તા અને કાસ્ટને કારણે સારું એવું બઝ ક્રિએટ કરવામાં સફળ રહી છે, પરંતુ તેની એડવાન્સ બુકિંગ એવી નથી થઈ. એક કારણ ‘તેરે ઇશ્ક મેં’ને માનવામાં આવે છે. કૃતિ સેનન અને ધનુષની આ ફિલ્મે માત્ર ૬ દિવસમાં જ બૉક્સ ઑફિસ પર ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. સ્પષ્ટ છે કે બૉક્સ ઑફિસ પર ‘ધુરંધર’ને આનાથી ટક્કર મળવાની છે.
પહેલા દિવસે ‘ધુરંધર’ કેટલી કમાણી કરશે?
એક અહેવાલ મુજબ, અત્યાર સુધી ‘ધુરંધર’એ 2Dમાં આશરે ૧૪,૫૪૯ શોમાં ૨.૫૫ લાખથી વધુ ટિકિટ વેચી છે, અને IMAX ફોર્મેટમાં ૧૨૩ શોમાંથી ૪૫.૨૨ લાખ રૂપિયાની વધારાની કમાણી થઈ છે. એડવાન્સ બુકિંગથી થયેલી કમાણી લગભગ ૧૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આમાં બ્લૉક્ડ સીટો પણ સામેલ છે. મહારાષ્ટ્ર ૩.૦૨ કરોડ રૂપિયાની કમાણી સાથે સૌથી આગળ છે. તેની પાછળ ૨.૯૮ કરોડ રૂપિયા સાથે દિલ્હી બીજા નંબરે છે. અનુમાન છે કે ‘ધુરંધર’ પહેલા દિવસે ૧૫-૨૦ કરોડ રૂપિયા કમાઈ શકે છે. જોકે, ફિલ્મના ૨૫૦ કરોડ રૂપિયાના મોટા બજેટને જોતાં આ ફિલ્મની સફળતા વર્ડ ઑફ માઉથ અને ફિલ્મના પૉઝિટિવ પ્રમોશન પર નિર્ભર રહેશે.

