VIDEO: ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે જાપાનમાં રિલીઝ થશે 'Dhurandhar', મેકર્સે શેર કર્યું પોસ્ટર
રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' ના બંને ભાગો સુપરહિટ રહ્યા છે. બંને ભાગોએ 3000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે ભારતમાં ધૂમ મચાવ્યા પછી આ ફિલ્મ જાપાની થિયેટરોમાં ધૂમ મચાવશે. આ ફિલ્મ હવે જાપાનમાં રિલીઝ થઈ રહી છે. તે 10 જુલાઈના રોજ જાપાની થિયેટરોમાં રિલીઝ થશે. jiostudiosએ આજે આ અંગેની વિગતો આપતી એક પોસ્ટ શેર કરી.
મેકર્સે રિલીઝ પોસ્ટર
ફિલ્મ મેકર્સે ભારતીય એક્શન થ્રિલર 'ધુરંધર' માટે જાપાની પ્રમોશનલ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મ જાપાનમાં 'ઓપરેશન ધુરંધર' શીર્ષક હેઠળ રિલીઝ થઈ રહી છે. જોકે, રણવીર સિંહ અને સંજય દત્તની પ્રભાવશાળી હાજરી સાથે ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.
'ધુરંધર' નું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન
જાપાન ભારતીય ફિલ્મો માટે એક મહત્ત્વપૂર્ણ બજાર તરીકે ઉભરી રહ્યું છે, આવી સ્થિતિમાં આ રિલીઝથી ફિલ્મની વૈશ્વિક કમાણીમાં વધારો થશે અને તેના પહેલાથી જ પ્રભાવશાળી લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો થશે તેવી અપેક્ષા છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, ધુરંધરે અત્યાર સુધીમાં ભારતમાં 1,307.35 કરોડ રૂપિયા અને વિદેશમાં 299.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનો બીજો ભાગ, 'ધુરંધર: ધ રીવેન્જ' 19 માર્ચ, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થયો હતો અને ભારતમાં પહેલાથી જ 1,000 કરોડ રૂપિયાને વટાવી ગયો છે. વધુમાં, તે 'પુષ્પા 2: ધ રૂલ' ને પાછળ છોડીને વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સંજય દત્ત ઉપરાંત અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, દાનિશ પંડોર, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને સૌમ્યા ટંડન પણ છે.
3000 કરોડ રૂપિયાથી વધુની કમાણી
દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ, ધુરંધરે રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તેને પહેલા અઠવાડિયામાં જ સુપરહિટ જાહેર કરવામાં આવી હતી. પહેલી ફિલ્મે 1300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ત્યારબાદ તેની સિક્વલ 'ધૂરંધર 2' રિલીઝ થઈ ગઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 'ધૂરંધર 2' એ પણ અત્યાર સુધીમાં 1700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 'ધૂરંધર' ફિલ્મ શ્રેણી 3000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં જોડાઈ ગઈ છે.

