Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : AR Rahman composed this song at midnight

એઆર રહેમાને રાત્રે અઢી વાગ્યે કમ્પોઝ કર્યું હતું આ ગીત, સાંભળીને સ્ટુડિયોમાં જ રડવા લાગ્યા હતા લોકો

Timeછેલ્લું અપડેટ : 05 May 2024
લાઇવ ટીવીGoogle News
એઆર રહેમાને રાત્રે અઢી વાગ્યે કમ્પોઝ કર્યું હતું આ ગીત, સાંભળીને સ્ટુડિયોમાં જ રડવા લાગ્યા હતા લોકો

દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની 'અમર સિંહ ચમકીલા' આ દિવસોમાં OTT Netflix પર ધૂમ મચાવી રહી છે. ઈમ્તિયાઝ અલીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. 'અમર સિંહ ચમકીલા'ના લગભગ તમામ ગીતો લોકપ્રિય થઈ રહ્યા છે, પરંતુ 'વિદા કરો' ગીતે બધાના દિલ જીતી લીધા છે. હવે ઇમ્તિયાઝ અલીએ આ ગીતના નિર્માણ વિશે એક રસપ્રદ વાર્તા કહી છે. તેણે કહ્યું કે કેવી રીતે કમ્પોઝર એઆર રહેમાને અડધી રાતે 'વિદા કરો' કમ્પોઝ કર્યું હતું.

App Store

એક ઇન્ટરવ્યુમાં ઈમ્તિયાઝ અલીએ કહ્યું, "જ્યારે આ ગીત બની રહ્યું હતું ત્યારે અમે વિચાર્યું ન હતું કે તેને કોણ ગાશે. તેનું નિર્માણ ખૂબ જ જાદુઈ હતું. કારણ કે રહેમાન સર રાત્રે 2.30 વાગ્યે પિયાનો લઈને બેઠા હતા. અમે તેનો સ્ટુડિયો છોડવાના હતા, પણ પછી હું અને ઇર્શાદ (ઇર્શાદ કામિલ) રોકાઈ ગયા. રહેમાન સાહેબે કહ્યું કે લાઈટો બંધ કરીને મીણબત્તીઓ પ્રગટાવીએ જેથી આ પ્રક્રિયાનો આનંદ લઈ શકીએ. રહેમાન સર પિયાનો પર ટ્યુન વગાડવા લાગ્યા. એ વખતે અમે જૂના સમયના ગીતોની વાત કરતા હતા. રહેમાન કહેતા હતા કે ગુરુ દત્તની ફિલ્મોમાં ગીતો કેવા હતા. અમે આ બધી વાતો કરતા હતા."

આ ગીત માત્ર 45 મિનિટમાં લખવામાં આવ્યું હતું

ઈમ્તિયાઝ અલીએ વધુમાં કહ્યું કે, "ઇર્શાદ કામિલે 45 મિનિટમાં ગીત લખ્યું અને પછી રહેમાન સરે કહ્યું ચાલો તેને રેકોર્ડ કરીએ. આજ સુધી આવુંનથી બન્યું. જ્યારે ગીત બની રહ્યું હતું ત્યારે સ્ટુડિયોમાં જ કેટલાક લોકો રડવા લાગ્યા હતા. રહેમાન સરે ઇર્શાદને કહ્યું, તમે આ શું કર્યું, લોકોને રડાવી દીધા."

ગીત માટે અરિજીત સિંહને કેમ પસંદ કર્યો?

ઈમ્તિયાઝ અલીએ 'વિદા કરો' ગાવા માટે અરિજીત સિંહને પસંદ કરવા વિશે પણ વાત કરી અને કહ્યું કે, "તેનું નામ એઆર રહેમાને સૂચવ્યું હતું." તેણે કહ્યું, "જ્યારે કોઈ કમ્પોઝર પોતાનું ગીત ગાય છે ત્યારે તેમાં ગંભીરતા અને લાગણી હોય છે. કેટલીકવાર તમને એવા ગાયકની જરૂર હોય છે જે સમાન જુસ્સાથી ગાઈ શકે, અરિજિત સિંહ આ રીતે ગાઈ શકે છે."

ઈમ્તિયાઝ અલીએ અરિજીત સિંહના વખાણ કર્યા

ઈમ્તિયાઝ અલીએ કહ્યું, "મને એ પણ ગમે છે કે અરિજીત સિંહ આખું ગીત ગાય છે. તે એવું નથી કહેતો કે હું એક લાઈન ગાઈને તેને સૂરમાં રાખવાનો પ્રયાસ કરીશ. તે આખું ગીત ગાય છે અને આખું ગીત સૂરમાં ગાય છે. આજના જમાનામાં, જ્યારે લોકો કહે છે કે તમે ગીતને ઓટો-ટ્યુન કરી શકો છો અથવા તેને AIની મદદ લી શકો છો, પરંતુ તે આખું ગીત ગાય છે, જે ખૂબ જ સારી બાબત છે."