સ્ટંટમેનના મોત બાદ AKSHAY KUMARની મોટી પહેલ, 700 લોકો માટે કર્યું આ કામ

તમિલનાડુમાં દિગ્દર્શક પા. રંજીતની ફિલ્મ 'આર્ય' ના શૂટિંગ દરમિયાન સ્ટંટમેન એસએમ રાજુનું દુઃખદ અવસાન થયું હતું. આ અકસ્માતે સમગ્ર ઈન્ડસ્ટ્રીને સ્તબ્ધ કરી દીધી. હવે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ચાલી આવતી સલામતીની ચિંતાઓને દૂર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે ભારતભરમાં લગભગ 700 સ્ટંટમેન અને સ્ટંટવુમનના જીવનનો વીમો કરાવ્યો છે.
માહિતી અનુસાર, આ દુ:ખદ ઘટનાએ મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સલામતીના ધોરણોનો અભાવ ઉજાગર કર્યો છે. આને ધ્યાનમાં રાખીને અક્ષય કુમારે એક પહેલ કરી છે. તેની નવી વીમા યોજના સેંકડો એક્શન ક્રૂ સભ્યોને આરોગ્ય અને અકસ્માત વીમો પૂરો પાડે છે.
સેટની બહાર ઈજા થાય તો પણ રાહત મળશે
'ગુંજન સક્સેના', 'અંતિમ', 'ઓએમજી 2' અને આગામી ફિલ્મો 'ધડક 2' અને 'જિગરા'માં કામ કરવા માટે પ્રખ્યાત સ્ટંટ પ્રોફેશનલ વિક્રમ સિંહ દહિયાએ કહ્યું, 'અક્ષય સરનો આભાર, બોલિવૂડમાં લગભગ 650 થી 700 સ્ટંટમેન અને એક્શન ક્રૂ સભ્યો હવે વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પોલિસી 5 થી 5.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ તબીબી સારવારને આવરી લે છે, પછી ભલે ઈજા સેટ પર હોય કે સેટની બહાર.'

