Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Indian Navy Agniveer recruitment 2025

JOB / સંગીતનો શોખ છે? તો ઈન્ડિયન નેવીમાં મળી શકે છે નોકરી, જાણો યોગ્યતા

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2025
લાઇવ ટીવીGoogle News
JOB / સંગીતનો શોખ છે? તો ઈન્ડિયન નેવીમાં મળી શકે છે નોકરી, જાણો યોગ્યતા

ઈન્ડિયન નેવીએ સંગીતકાર પ્રવેશ હેઠળ અગ્નિવીર MR પોસ્ટ્સ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી હેઠળ, યુવાનોને ઈન્ડિયન નેવીમાં 4 વર્ષ માટે સેવા આપવાની સુવર્ણ તક મળશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 5 જુલાઈથી શરૂ થશે અને 13 જુલાઈ સુધી ચાલશે.

App Store

ઈન્ડિયન નેવીની અગ્નિવીર MR (મ્યુઝિશિયન) ભરતી 2025 માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત, આ પરીક્ષા "બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન" દ્વારા 50 ટકા માર્ક્સ સાથે માન્ય હોવી જોઈએ. 

વૈવાહિક સ્થિતિ અને નિયમો

આ ભરતી પ્રક્રિયામાં ફક્ત અપરિણીત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો જ ભાગ લઈ શકે છે. પસંદ કરાયેલા ઉમેદવારોએ સાબિત કરવું પડશે કે તેઓ અપરિણીત છે, જેના માટે 'અવિવાહિત પ્રમાણપત્ર' સબમિટ કરવું ફરજિયાત રહેશે. વધુમાં, અગ્નિવીરોને ચાર વર્ષના સેવા કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

સંગીત સંબંધિત લાયકાત 

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની સાથે, સંગીતમાં નિપુણતા પણ ફરજિયાત છે. ઉમેદવારો પાસે સૂર, લય અને સમગ્ર ગીત યોગ્ય રીતે ગાવાની ક્ષમતા હોવી જોઈએ. ઉપરાંત, સાંભળીને સંગીત ઓળખવાની સમજ on હોવી જોઈએ.

ઉમેદવારોને ભારતીય કે વિદેશી કોઈપણ સંગીત વાદ્ય વગાડતા આવડવું જોઈએ. જેમ કે - કીબોર્ડ, તબલા, ડ્રમ્સ, ગિટાર, વાંસળી અથવા અન્ય કોઈપણ વાદ્ય. એક અથવા વધુ વાદ્યોમાં સારી પકડ અને પ્રેક્ટિસ હોવી જરૂરી છે.

ઉંમર કેટલી હોવી જોઈએ?

આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારની જન્મ 1 સપ્ટેમ્બર 2004થી 29 ફેબ્રુઆરી 2008ની વચ્ચે થયો હોવો જોઈએ. આનો અર્થ એ છે કે ફક્ત તે જ લોકો અરજી કરવા પાત્ર રહેશે જેઓ આ બે તારીખે અથવા તેની વચ્ચે જન્મ્યા છે. 

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ

ભરતીમાં પસંદગી પામવા માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. પુરૂષ ઉમેદવારોએ 6 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિમીની દોડ પૂર્ણ કરવી પડશે, અને 20 સ્ક્વોટ્સ, પુશ-અપ્સ અને સિટ-અપ્સ પણ કરવા પડશે. બીજી તરફ, મહિલા ઉમેદવારોએ 8 મિનિટમાં 1.6 કિમીની દોડ પૂર્ણ કરવી પડશે, અને 15 સ્ક્વોટ્સ, 10 પુશ-અપ્સ અને સિટ-અપ્સ પણ કરવા પડશે.

કેટલો પગાર આપવામાં આવશે?

અગ્નિવીર મ્યુઝિશિયનના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ વર્ષે દર મહિને 30,000 રૂપિયા પગાર મળશે. બીજા વર્ષે, આ પગાર વધીને 33,000 રૂપિયા દર મહિને થશે. ત્રીજા અને ચોથા વર્ષે પણ પગાર વધશે. આ સાથે, અગ્નિવીરોને નિર્ધારિત નિયમો અનુસાર જોખમ ભથ્થું, રાશન, કપડા અને અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા અને અરજી ફી

ઉમેદવારોની પસંદગી સૌપ્રથમ તેમની 10માની પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. આ પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT), સંગીત ક્ષમતા કસોટી અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અંતિમ પસંદગી બધા તબક્કાઓ પાસ કર્યા પછી જ કરવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈપણ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. બધા ઉમેદવારો ફોર્મ બિલકુલ ફ્રીમાં ભરી શકે છે. આ પહેલ તમામ વર્ગના યુવાનોને સમાન તક આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી છે.