Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How will the vacancies be filled?

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, નાયબ મામલતદારની કરાશે ભરતી 

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, નાયબ મામલતદારની કરાશે ભરતી 
સોર્સ : Google

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 5502 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે, જેનાથી મહેસૂલ વિભાગના કામકાજને વેગ મળશે અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે.

App Store

જાણો કેવી રીતે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

રાજ્ય સરકાર સરકાર દ્વારા કુલ 5502 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી કલેક્ટર કચેરીમાં 5186 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જ્યારે પ્રતિનિયુક્તિ ((ડેપ્યુટેશન)થી 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરવામાં આવશે.

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 2 - image

બેકલોગ ખાલી જગ્યાઓ (કેટેગરી-એ): તમામ કેડરથી 4699 જગ્યાઓ આ કેટેગરી હેઠળ ફાળવવામાં આવી છે.

મહેસૂલ વિભાગ અંતર્ગત ખાસ પ્રતિનિયુક્ત નિમણૂકો: 103 જગ્યાઓ આ માટે ફાળવવામાં આવી છે.

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય 3 - image

સંવર્ધિત કેડર હેઠળ: 79 જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે.

ડેપ્યુટેશન રિઝર્વ હેઠળ: 116 જગ્યાઓ આ હેઠળ ફાળવાઈ છે.

આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કાર્યક્ષમતામાં વધારો થશે અને રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી અને ઝડપથી મળી રહેશે. આ જગ્યાઓ પર નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહેસૂલ વિભાગમાં અધિકારીઓની અછતને કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હતો. આ નવી ભરતીથી વિભાગની કામગીરી ઝડપી બનશે.