Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : How to save your career during a period of layoffs

Career Tips / છટણીના સમયગાળા દરમિયાન કેવી રીતે બચાવવી કારકિર્દી? મદદરૂપ થઈ શકે છે આ 5 ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2025
લાઇવ ટીવીGoogle News
Career Tips / છટણીના સમયગાળા દરમિયાન કેવી રીતે બચાવવી કારકિર્દી? મદદરૂપ થઈ શકે છે આ 5 ટિપ્સ

ઘણા કર્મચારીઓ તાજેતરના સમયમાં છટણીના ભયનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓ તેમના ભવિષ્ય વિશે મૂંઝવણમાં છે. ભારતમાં ઘણી કંપનીઓ આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને વર્કપ્લેસમાં AIના પ્રવેશ પછી, એવું માનવામાં આવે છે કે લોકો મોટા પાયે નોકરીઓ ગુમાવી શકે છે.

App Store

છટણીના સમયગાળા દરમિયાન, કોઈપણ કંપનીમાં કોઈપણ પ્રોફેશનલને એવી કટોકટીનો સામનો કરવો પડી શકે છે જ્યાં તે છટણીનો શિકાર બની શકે છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓએ અગાઉથી માનસિક રીતે તૈયાર રહેવું પડશે અને જો તેઓ છટણીનો ભોગ બને તો તેઓ શું કરશે તે વિચારવું પડશે. અહીં અમે તમને એવી 5 ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે છટણીના સમયગાળા દરમિયાન તમારી કારકિર્દી બચાવી શકો છો.

તમારા લક્ષ્યો નક્કી કરો, દરેક સંભવિત પરિસ્થિતિ વિશે વિચારો

જો કંપની મુશ્કેલીમાં હોય અને છટણીની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય, તો તમારે તમારા લક્ષ્યો નક્કી કરવા જોઈએ અને દરેક સંભવિત પરિસ્થિતિ વિશે વિચારવું જોઈએ. કંપની તમને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તમને જાણ કરશે, અથવા તમારી સામે બાયઆઉટની ઓફર રાખશે. જો તમે અગાઉથી તૈયારી કરો છો, તો તમે નક્કી કરી શકશો કે તમે કંપની છોડવા માંગો છો કે તમારા મેનેજરને ખાતરી આપી શકો છો કે તમે બીજી નોકરી માટે તૈયાર છો. ઉદાહરણ તરીકે, જો તમે ટ્રાન્સફર થવા અથવા બીજા વિભાગમાં કામ કરવા માટે સંમત થાઓ છો, તો કંપની તમને કાઢી મૂકવાના તેના નિર્ણય પર  બીજી વખત ર્વિચાર કરી શકે છે.

છટણીનો ભોગ બન્યા હોવ તો પણ યોગ્ય હેન્ડઓવર આપો

જો તમને કંપનીમાંથી છટણીમાં કાઢી મૂકવામાં આવે તો પણ તમારે તમારી જવાબદારીઓ નિભાવવી જોઈએ. આનો અર્થ એ છે કે તમારે જતા પહેલા તમારા સ્થાને આવનાર વ્યક્તિને યોગ્ય રીતે હેન્ડઓવર આપો. જો તમને પૂછવામાં આવે તો તમે તમારા સ્થાને કામ કરતી વ્યક્તિનો સહકર્મચારીઓ સાથે પરિચય પણ કરાવી શકો છો. યોગ્ય રીતે હેન્ડઓવર આપવાથી, કંપનીનો તમારા પ્રત્યેનો દૃષ્ટિકોણ સુધરશે અને જ્યારે પરિસ્થિતિ સુધરશે, ત્યારે કંપની પહેલા તમારો વિચાર કરશે. જો તમે પોતે નોકરી છોડી રહ્યા હોવ તો પણ આ કરવું મહત્ત્વપૂર્ણ છે.

તમે કંપની છોડો કે કંપની તમને છોડે, યોગ્ય કારણ જરૂરી છે

કંપની તમને છોડી દે કે તમે કંપની છોડી દો, તમારી પાસે માન્ય કારણ હોવું જોઈએ. એક એવું કારણ જે તમારી છબીને અસર ન કરતું હોય. જો છટણી મોટા પાયે ન થઈ રહી હોય, તો તમે તમારા મેનેજર સાથે વાત કરી શકો છો અને કોઈ કારણ આપી શકો છો જેથી તમને આગામી કંપનીમાં નોકરી મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. જો તમે જાતે જ નોકરી છોડી રહ્યા છો, તો તમારે કહેવું પડશે કે તમે આવું શા માટે કરી રહ્યા છો. શું તમારી પાસે આનાથી સારી તક છે કે પછી તમે ગુસ્સામાં આવીને આ કરી રહ્યા છો? તમને આગામી કંપનીમાં ક્યારે નોકરી મળશે તે આ કારણો પર નિર્ભર રહેશે.

માર્કેટ પ્રમાણે તમારી જાતને તૈયાર કરો

નોકરીમાં હોવા છતાં માર્કેટ પ્રમાણે પોતાને તૈયાર કરો. છટણીના સમયગાળા દરમિયાન સ્પર્ધા વધે છે. આવી સ્થિતિમાં, તમારી જાતને અપડેટ રાખવી મહત્ત્વપૂર્ણ છે, આનાથી છટણીના સમયગાળા દરમિયાન પણ સુરક્ષિત રહેવાની શક્યતા વધી જાય છે. તમારે નવી નોકરી શોધવાનું પણ શરૂ કરવું જોઈએ. જો તમને લાગે કે સંજોગો પ્રતિકૂળ છે અને તક સારી છે, તો તમારે તેને ગુમાવવી ન જોઈએ.

છટણી સમયે મળતા વિકલ્પો પર ભવિષ્ય આધારિત છે

જો છટણી સમયે, કંપની તમને કંપનીના નિયમો અને શરતો પર રહેવાનો વિકલ્પ આપે છે અને તમે તે શરતો સ્વીકારો છો, તો પણ તમારી નોકરી સુરક્ષિત છે તેની ખાતરી નથી. કંપનીમાં છટણીનો બીજો રાઉન્ડ થઈ શકે છે અને એ પણ શક્ય છે કે બીજી વખતે, તમને વિકલ્પ આપવાને બદલે, સીધો નિર્ણય લેવામાં આવે. તેથી, ભવિષ્ય વિશે વિચારપૂર્વક નિર્ણયો લો. બીજી કંપનીમાં તમને કયા પેકેજ અને પોસ્ટ પર નોકરી મળી રહી છે તેના પર પણ ધ્યાન આપો.