VIDEO: ભારતીય નૌકાદળમાં અગ્નિવીર એપ્રેન્ટિસશીપ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, જાણો કોણ ભરી શકે છે ફોર્મ
ભારતીય નૌકાદળે અગ્નિવીર એપ્રેન્ટિસશીપ પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યું છે. ભારતીય નૌકાદળમાં અગ્નિવીર એપ્રેન્ટિસ તરીકે નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. એપ્રેન્ટિસશીપ માટે ઓનલાઈન અરજીઓ ખુલી ગઈ છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 29 જૂન, 2026 સુધી અગ્નિવીર એપ્રેન્ટિસશીપ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને તેમના ફોર્મમાં સુધારા કરવાની તક પણ આપવામાં આવશે. ઉમેદવારો 6 જુલાઈ, 2026 સુધી સુધારા કરી શકે છે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ભારતની માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
પરીક્ષા પેટર્ન
લેખિત પરીક્ષામાં 100 માર્ક્સ ધરાવતા 100 પ્રશ્નો હશે. પરીક્ષા હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લેવામાં આવશે. ઉમેદવારોને બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. લેખિત પરીક્ષા એક કલાક માટે લેવામાં આવશે. ઉમેદવારોને સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ગણિત અને સંબંધિત ટ્રેડના પ્રશ્નો પૂછવામાં આવશે. ખોટા જવાબો માટે ચોથા ભાગના માર્ક્સ કાપવામાં આવશે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સ્ટેજ 2 પરીક્ષામાં બેસવા માટે આમંત્રિત કરવામાં આવશે.
પરીક્ષા ફી
અગ્નિવીર એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પરીક્ષા ફી ચૂકવવી પડશે. તમામ શ્રેકેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 550 રૂપિયાછે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in ની મુલાકાત લો.
- પછી, વેબસાઇટના હોમપેજ પર 'રજીસ્ટ્રેશન કરો' વિભાગ પર ક્લિક કરો.
- હવે માંગવામાં આવેલી બધી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- આ પછી, જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
- હવે નિર્ધારિત પરીક્ષા ફી ચૂકવો.
- છેલ્લે, ફોર્મ ભર્યા પછી, તેની પ્રિન્ટ કાઢી લો.

